દીવાદાંડી
દીવાદાંડીએ જૂના સમયમાં દરિયાખેડુઓને માર્ગદર્શન આપવા માટે દરિયા કીનારે બાધવામાં આવતી અને જેની ટોચ પર દૂર સુધી દેખાય તે રીતનો પ્રકાશ રાખવામાં આવે છે તેને કહે છે. આ પ્રકાશ જોઈ ને સાગરખેડુઓ હવે દરિયા કિનારો નજીક છે તેનો અંદાજ મેળવતા. દીવાદાંડીઓનો મુખ્ય ઉપયોગ સાગરખેડુઓને ભયજનક અને ખડકાળ દરિયાકિનારાથી ચેતવવા માટે પણ થતો. આધુનિક સમયમાં વિજાણુ માર્ગદર્શક સાધનોની ઉપલબ્ધતા વધતા દિવાદાંડીઓનો માર્ગદર્શક તરીકેનો ઉપયોગ ઘટતો જાય છે.
ફરતા પ્રકાશવાળી દરેક દીવાદાંડીનો પ્રકાશના બે ઝબકારા દેખાડવા વચ્ચેનો એક ચોક્કસ સમય હોય છે જેના પરથી જહાજ રાત્રીના અંધકારમાં પણ પોતે ક્યા કિનારાની નજીક છે તે નક્કી કરી શકે છે.
ભારતમાં દીવાદાંડીઓનું નિયમન ડાયરેક્ટર જનરલ ઓફ લાઇટહાઉસીસ ઍન્ડ લાઇટશિપ્સ દ્વારા થાય છે જે બંદર અને જહાજ મંત્રીના વિભાગ હેઠળ આવે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ R.K. Bhanti. "Indian Lighthouses - An Overview" (PDF). Directorate General of Lighthouses and Lightships. મેળવેલ 27 November 2019.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કૉમન્સ પર દીવાદાંડીઓ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: રાશીમુખપૃષ્ઠવિરાટ કોહલીવિશેષ:શોધસુનીતા વિલિયમ્સમુકેશવર્મોન્ટભારતનું બંધારણગુજરાતજુલાઇ ૨૧ઢાંચો:Country data Italyહાર્દિક પંડ્યામિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓરવીન્દ્ર જાડેજાકેરીઢાંચો:Infobox language/quiltઢાંચો:As of/docનવેમ્બર ૪ઢાંચો:Wikibooks-inlineગુજરાતી ભાષામે ૨૧ઢાંચો:Infobox religious building/colorમહાત્મા ગાંધીવિભાગ:Listભારતનો ઇતિહાસગુપ્તરોગઢાંચો:GeoTemplateજૂન ૧૫ઢાંચો:Cite AV media/docઅમદાવાદભારતવડોદરાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમહાભારતસુરતઝવેરચંદ મેઘાણીઢાંચો:Infobox person/Template:Tlઢાંચો:Google Inc.